મળતી માહિતી પ્રમાણે જે ભારતીયોનું અપહરણ કરવામાં આવ્યું છે તેઓ કાબુલના હમીદ કરઝાઇ એરપોર્ટ પર જઈ રહ્યા હતા ત્યારે એરપોર્ટની નજીક પહોંચ્યો હતો કે તાલિબાન લડવૈયાઓ ત્યાં પહોંચ્યા અને તેઓએ દરેકને પોતાની વાનમાં બેસાડી દીધા.ત્યારે આ સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવ્યા બાદ તાલિબાને આવી કોઇ ઘટનાને ન બની હોવાનો દાવો કર્યો છે. તાલિબાનના પ્રવક્તા અહમદુલ્લાહ વસીકે કહ્યું કે અપહરણ જેવા સમાચાર સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. ત્યારે અહમદુલ્લાહ વસીકે જણાવ્યું કે તાલિબાન લોકોને બીજા ગેટથી સુરક્ષિત રીતે એરપોર્ટની અંદર લાવ્યા છે.
અફઘાન પત્રકારોએ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જઈ રહેલા 150 ભારતીયોનું તાલિબાન લડવૈયાઓએ અપહરણ કર્યું છે.ત્યારે અફઘાન પત્રકારોના જણાવ્યા પ્રમાણે અપહરણ કરાયેલા મોટાભાગના લોકોમાં અફઘાન નાગરિકો અને અફઘાનિસ્તાનમાં રહેતા શીખોનો સમાવેશ થાય છે. ત્યારે તાલિબાને અફઘાન પત્રકારોના સમાચારોને નકારી દીધા છે, પરંતુ ભારત સરકાર તરફથી હજી સુધી કોઈ પુષ્ટિ મળી નથી. વિદેશ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે સરકાર આ સમાચારની ખરાઈ કરવામાં વ્યસ્ત છે.
Read More
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!
- આજે હનુમાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર…જાણો આજનું રાશિફળ
- ગુજરાત તરફ આવી રહ્યું મોટું વાવાજોડું, આ તારીખથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે