ભાજપ માટે સૌથી મોટો પડકાર સત્તા વિરોધી લહેરને કાબૂમાં રાખવાનો છે.ત્યારે આ કારણોસર પાર્ટીએ વિજયભાઈને હટાવીને ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે.ત્યારે સમગ્ર નવા મંત્રીમંડળને પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેથી 2022ના અંતમાં યોજાનારી ચૂંટણીઓ પહેલા પાર્ટી કેડરને પુનર્જીવિત કરી શકાય.
ગુજરાત અને ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી બદલ્યા બાદ આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ હવે આ રાજ્યોમાં તેના વર્તમાન ધારાસભ્યોની અડધી બેઠકો કાપવાની યોજના બનાવી રહી છેત્યારે તે આમ કરીને એન્ટી-ઇન્કમ્બન્સી વેવ ઘટાડવા માંગે છે.
છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટીએ તેના 15 થી 20 ટકા ધારાસભ્યો ને ટિકિટ આપી ન હતી ત્યારે સૂત્રોએ જણાવ્યું કે આ વખતે આંકડો ઘણો ઉંચો હોઈ શકે છે કારણ કે લોકોના મનમાં રોષ છે. પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું કે, ભાજપે રાજ્યોમાં જમીન સ્તરના સર્વે હાથ ધર્યા છે.
ત્યારે જનતાના મનની વાત જાણી શકાય. ધારાસભ્યને એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કામોનું રિપોર્ટ કાર્ડ અને જે પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ સાથે મેળ ખાશે. જે ધારાસભ્યો સારું પ્રદર્શન નહીં કરે તેમને આ વખતે ટિકિટ નહીં મળે. અમુક માપદંડોના આધારે ધારાસભ્યોનું મૂલ્યાંકન કરવામાં આવશે.
જેમ કે તેમણે સ્થાનિક વિકાસ ભંડોળનો કેટલો ઉપયોગ કર્યો, કેટલા પ્રોજેક્ટ હાથ ધર્યા અને રોગચાળા દરમિયાન પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલી ‘સેવા હી સંગઠન’ યોજનામાં તેમણે કેટલું યોગદાન આપ્યું. પાર્ટીએ તમામ મતવિસ્તારોનો સર્વે કર્યો છે, સરકારની કામગીરી પર લોકો પાસેથી પ્રતિસાદ માંગ્યો છે.
Read More
- તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત…ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ‘બિપોરજોય’, આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!
- આ 3 રાશિઓ માટે બની શકે છે અશુભ ગુરુ ચાંડાલ યોગ, તૂટી શકે છે પરેશાનીઓનો પહાડ!
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!