આઇએમએએ બાબા રામદેવને મોકલેલી નોટિસમાં કહ્યું છે કે તેમના નિવેદનમાં આડકતરી રીતે સંગઠન સાથે સંકળાયેલા ડોક્ટરો પ્રત્યે સામાન્ય લોકોની સદભાવને નુકસાન થયું છે. ત્યારે કાનૂની નોટિસમાં સજા અને દંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આઇએમએ યોગગુરુ ને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તે આ પત્ર મળ્યાના 15 દિવસની અંદર તેમના નિવેદનની માફી માંગે.
જે રીતે તેમના અગાઉના નિવેદનનો વીડિયો મીડિયા અને સોશ્યલ મીડિયા પર જાહેર થયો હતો, તેવી જ રીતે બાબા રામદેવે પણ માફીના વીડિયોને જાહેર કરવો જોઈએ. તેમજ લેખિતમાં માફી માંગે નહીં તો તેની સામે 1000 કરોડ રૂપિયાનો દાવો કરવામાં આવશે.
બાબા રામદેવ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન વચ્ચે ચાલી રહેલા વિવાદ અટકે તેમ લાગતું નથી. ત્યારે આઇએમએની ઉત્તરાખંડ શાખાએ હવે પતંજલિ યોગપીઠના પ્રમુખ બાબા રામદેવને ડોકટરો વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવા બદલ માનહાનિ નોટિસ મોકલી છે.
આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બાબા રામદેવે 15 દિવસની અંદર તેમના નિવેદન માટે માફી માંગવી જોઈએ, નહીં તો આઈએમએ તેમની સામે 1000 કરોડનો દાવો કરશે. ડોકટરોની સંસ્થાએ માંગ કરી છે કે રામદેવે આ નિવેદનની સામે લેખિતમાં માફી માંગવી પડશે, નહીં તો આ દાવાને કાયદેસર રીતે નકારી શકાય.
Read More
- બજરંગ બલિની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે, ઘર ધનથી ભરાઈ જશે…
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…