મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વડા પ્રધાન દ્વારા ગુજરાતમાં આપવામાં આવતી સહાય આ વાવાઝોડા પછી રાહત રૂપ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જાહેરાત કરી છે કે આ વાવાઝોડાને કારણે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકના વારસદારોને ગુજરાત સરકાર તરફથી 4 લાખ. અને ભારત સરકારે જાહેર કરેલી 2 લાખ રૂપિયાની સહાય ઉપરાંત આપવામાં આવશે. ત્યારે રાજ્યમાં વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોના વારસોને કુલ 6 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં વાવાઝોડાની દુર્ઘટનામાં પીડિતોને તાત્કાલિક રાહત માટે રૂ. 1000 કરોડની જાહેરાત કરી છે અને વડા પ્રધાન અને ભારત સરકારનો આભાર માન્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ જરૂર પડે ત્યારે ઉમદા સહાય આપીને ગુજરાતની સાથે ઉભા રહ્યા છે,
મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી છે કે રાજ્ય સરકાર વાવાઝોડામાં ઘાયલ લોકોને 50,000 રૂપિયાની સહાય આપશે. ત્યારે આ સહાય પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ આપવામાં આવશે, એટલે કે વાવાઝોડામાં ઇજાગ્રસ્તોને કુલ 1 લાખ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની ઉચ્ચ-સ્તરીય બેઠકમાં માર્ગ મકાન ઉર્જા સહિતના વિભાગોના સચિવોને રાજ્યમાં વાવાઝોડાથી ઉદ્ભવતા પરિસ્થિતિની વિસ્તૃત વિગતવાર વિચારણા કરવા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોના પુનર્વસન અને પુનર્સ્થાપિત કરવા વિનંતી કરવામાં આવી છે.
Read More
- બજરંગ બલિની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે, ઘર ધનથી ભરાઈ જશે…
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…