સૌરાષ્ટ્ર એપીએમસી ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કામાણીએ જણાવ્યું હતું કે, ખેડુતોને આ પ્રકારના કપાસના ભાવ મળ્યાને 11 વર્ષથી વધુ સમય થયા છે. શંકરસિંહ વાઘેલા જ્યારે કેન્દ્રીય કાપડ પ્રધાન હતા ત્યારે કપાસના ભાવ રૂ .1500 ને પાર કરી ગયા હતા. કપાસના ઓછા ઉત્પાદ તેમજ વૈશ્વિક બજારમાં વધતી માંગને કારણે આ વર્ષે કપાસના ભાવ આસમાને ચડ્યા છે.
હાલમાં સૌરાષ્ટ્રના ખેડુતો માટે સારા સમાચાર છે. રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં એક મણ કપાસના ભાવ 1570 પર પહોંચી ગયા છે. લાંબા સમય પછી, કપાસના ભાવ ખેડૂતોને વધુ સારા મળી રહ્યા છે.ત્યારે કપાસના ભાવ સારા મળી રહ્યા છે. જેના કારણે, સંભવત છે કે, આવતા વર્ષે, ખેડૂતો ગયા વર્ષે તેમજ આ વર્ષની તુલનામાં કપાસના વાવેતરમાં વધારો કરશે.
છેલ્લા ત્રણ વર્ષથી કપાસના પાકમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડુતોએ ધીરે ધીરે કપાસની વાવણીમાં ઘટાડો કર્યો છે. ગયા વર્ષે વરસાદના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કપાસનો પાક નિષ્ફળ ગયો હતો.
Read More
- કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન વિભાગે જાહેર કરી આગાહી, જાણો ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર
- હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોના ભાગ્યમાં આવશે તેજી..થશે ધનનો વરસાદ
- સોનાના ભાવમાં સતત ઘટાડો, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી
- તુલા રાશિમાં મંગળ-કેતુનું ગોચર દેશ અને દુનિયા સહિત આ રાશિઓ પર પડી શકે છે ગંભીર અસર
- સોનાના ભાવમાં લાલચોળ તેજી…જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ