રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક પરિણીત મહિલાએ તેના સાસરિયાઓ દ્વારા તેના પર ત્રાસ ગુજારતા હતા તે સહન ન કરી શકતાં મોત વહાલું કરી લીધું હતું માત્ર ત્રણ મહિના પહેલા જ જે યુવતીએ લવ મેરેજ કર્યા હતા. ત્યારે ત્રણ મહિનામાં, છોકરી નહીં પણ છોકરીનો મૃતદેહ તેના માતાના ઘરે આવ્યો હતો . રવિવારે સિંધી સમાજના લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં પહોંચ્યા હતા.
સિંધી સમાજની દીકરીને જે લોકોએ માર માર્યો છે. તે તમામ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે તમામની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે જેથી પીડિત પરિવારને ન્યાય મળી શકે.તેવી માંગ ઉઠી હતી ત્યારે ગણતરીના કલાકોમાં જ ગોંડલ શહેર પોલીસે મૃતક ભાવિકા શર્માના સાસરિયાઓ સામે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ગોંડલ શહેરના અવકાર રેસીડેન્સીમાં સાસરિયાઓના ત્રાસને કારણે માત્ર ત્રણ મહિના પહેલા જ લગ્ન થયેલ પરિણીતાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ત્યારે ઝુલેલાલ નગર, રાજકોટ સિંધી કોલોનીમાં રહેતા ભાવિકાબેનની માતા મમતાબેન અશોકભાઈ શર્માએ ચિરાગ, ભાવિકા બેનના પતિ, સાસુ સોનલબેન, સસરા સંજયભાઈ અને દિયર સામે મરવા માટે મજબુર બળજબરી કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.
Read More
- કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન વિભાગે જાહેર કરી આગાહી, જાણો ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર
- હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોના ભાગ્યમાં આવશે તેજી..થશે ધનનો વરસાદ
- સોનાના ભાવમાં સતત ઘટાડો, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી
- તુલા રાશિમાં મંગળ-કેતુનું ગોચર દેશ અને દુનિયા સહિત આ રાશિઓ પર પડી શકે છે ગંભીર અસર
- સોનાના ભાવમાં લાલચોળ તેજી…જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ