પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ ભારતની ઉર્જા પર્યાપ્તતા અને સુરક્ષા લક્ષ્યોને વધારવા માટે રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનની જાહેરાત કરી હતી. ત્યારે સ્વતંત્રતા દિવસના ભાષણમાં વડાપ્રધાને ઉર્જા સ્વતંત્રતાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે ત્યારે જણાવ્યું હતું કે આ યોજનાનો હેતુ ભારતને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન અને નિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો છે.
ભારતમાં હાઇડ્રોજન ગેસ બનાવવા માટે બે પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ત્યારે આમાંની એક પદ્ધતિમાં, હાઇડ્રોજન પાણીના વિદ્યુત વિચ્છેદન દ્વારા અલગ પડે છે. એટલે કે, પાણીની મદદથી બનેલી હાઇડ્રોડનથી કાર ચલાવી શકશે. ત્યારે આ પદ્ધતિ માત્ર તે કાર માટે જ શક્ય બનશે, જે હાઇડ્રોજન ગેસ ઇંધણને ટેકો આપે છે. અન્ય રીતે, કુદરતી ગેસ હાઇડ્રોજન અને કાર્બનમાં વિભાજિત થાય છે. આમાંથી મેળવેલ હાઇડ્રોજન બળતણ તરીકે વપરાય છે.
કેન્દ્ર ભારતના રસ્તાઓ પર વાહનોને ઇંધણ આપવા માટે ગ્રીન હાઇડ્રોજન પર વિચાર કરી રહી છે.ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે તેમનું મંત્રાલય ભારતના જળવાયું લક્ષ્યો હાંસલ કરવાના પ્રયાસમાં ઇલેક્ટ્રિક વાહનોના વિકલ્પ તરીકે કામ માટે સંભવિત પરિવહન બળતણ તરીકે ગ્રીન હાઇડ્રોજન લાવવા માટે ગંભીર છે.
નીતિન ગડકરીએ જે ભૂતકાળમાં વૈકલ્પિક બળતણ તેમજ ઇલેક્ટ્રિક વાહનોના સૌથી વધુ હિમાયતીઓમાંના એક હતા ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ હાઇડ્રોજનથી ચાલતી કારને છૂટ આપવા તૈયાર છે જે હાલમાં ઇલેક્ટ્રિક વાહનોને આપવામાં આવી રહી છે.ત્યારે ‘હાઇડ્રોજન અને ગેસ આધારિત ગતિશીલતા’ પર એક પરિષદને સંબોધતા ગડકરીએ જણાવ્યું કે “અમે સંભવિત પરિવહનના બળતણ તરીકે ગ્રીન હાઇડ્રોજનને લગતી સંભાવનાઓ શોધી રહ્યા છીએ. અને અમે ઇલેક્ટ્રિક વાહનો માટે જે પણ છૂટછાટો આપી રહ્યા છીએ, અમે ગ્રીન હાઇડ્રોજન માટે પણ તે જ છૂટ આપી શકીએ છીએ.
ગડકરીએ વધુમાં જણાવ્યું કે ભારતે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ, ઇલેક્ટ્રિક વ્હીકલ ટેકનોલોજી પર ખાસ કરીને ભારે ટ્રક, બસો, દરિયાઇ અને ઉડ્ડયન હેતુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. ત્યારે ગડકરીએ કહ્યું કે આ પગલાને કેન્દ્રનો ટેકો મળશે અને તેઓ આ બાબતને વધુ અમલીકરણ માટે નાણાં મંત્રાલય અને નીતિ આયોગ સમક્ષ ઉઠાવશે.
જો તેને અમલમાં મુકવામાં આવે તો, હાઇડ્રોજન ઇથેનોલને ઇંધણમાં મિશ્રિત કરવા અંગે સરકારે પહેલું ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યા બાદ ભારતમાં ઉપયોગમાં લેવાતું બીજું વૈકલ્પિક બળતણ બનશે.ત્યારે ડ્રાફ્ટ નોટિફિકેશનમાં પેટ્રોલમાં 12 ટકા અને 15 ટકા ઇથેનોલને મોટર વ્હીકલ ઇંધણ તરીકે ભેળવવાનો નિયમ છે.ત્યારે પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરવાથી ઇંધણની એકંદર કિંમતમાં ઘટાડો થવાની સંભાવના છે, જે ભારતભરમાં અનેક સ્થળોએ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધારે થઈ ગઈ છે. તેને વાહનોનું પ્રદૂષણ ઘટાડવા અને મોંઘા ઇંધણની આયાત ઘટાડવાના માર્ગ તરીકે પણ જોવામાં આવે છે.
Read More
- બજરંગ બલિની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે, ઘર ધનથી ભરાઈ જશે…
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…