સમગ્ર ગુજરાતમાં કપાસ અને મગફળીની ખેતી થાય છે ત્યારે આ બે પાકમાંથી 80% સૌરાષ્ટ્રમાં વાવેતર થાય છે. ત્યારે ગુજરાતમાં આ વર્ષે 19 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે સાથે 23 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે. કપાસ સામાન્ય રીતે જીવાતો અને ઇયળો માટે સંવેદનશીલ હોય છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સમયસર વરસાદ થયો ન હતો તેથી કપાસ અને મગફળી કરમાઈ જવાની તૈયારી કરી રહ્યા હતા પણ પછી સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ બાદ સુકાઈ ગયેલા મોલાતને જીવાદોરી મળી.
સૌરાષ્ટ્રમાં ખેતીની બે પેટર્ન છે. તેમાં પહેલી મેના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં પ્રારંભિક વાવેતર ત્યારે આ વાવેતર 30 થી 35 ટકા સુધી છે. બીજું મોસમ વાવેતર કરવામાં આવે છે. તેથી ચોમાસાની શરૂઆતમાં, સારા વરસાદ પછી, વાવેતર કરવામાં આવે છે. હાલ ભારે વરસાદના કારણે પૂર્વ વાવેતર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. કારણ કે આ પાક લગભગ તૈયાર છે.
જ્યારે સિઝનમાં વાવેતર એટલું નુકસાન નથી કરતું કારણ કે તે હજુ પાકેલું નથી. જો કે, જો આપણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કપાસ અને મગફળીના નુકસાન પર નજર કરીએ તો, એક અંદાજ મુજબ ભારે વરસાદને કારણે મગફળીમાં 20 ટકા અને કપાસમાં 30 ટકા નુકશાન થયું છે.
‘ગુલાબ’ ની અસરને કારણે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવે ગુજરાત પર ‘શાહીન’ નામના વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હજુ ભારે હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.ત્યારે ગુજરાતમાં આ વખતે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે. સૌરાષ્ટ્રનો સૌથી મહત્વનો પાક મગફળી અને કપાસ ગણાય છે. જો સમયસર વરસાદ નહીં થાય તો કપાસ અને મગફળીના પાકને અસર થશે અને જો હવે વધુ વરસાદ પડે તો ખેડૂતોને ઘણું નુકસાન થયું છે.
Read More
- તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત…ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ‘બિપોરજોય’, આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!
- આ 3 રાશિઓ માટે બની શકે છે અશુભ ગુરુ ચાંડાલ યોગ, તૂટી શકે છે પરેશાનીઓનો પહાડ!
- આજે માં ખોડિયારની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્ય કરતા તેજ દોડશે…મળશે ધન લાભ
- જો તમારી CNG કાર ઓછી માઈલેજ આપી રહી હોય તો તરત જ કરો આ કામ, મળશે શાનદાર માઈલેજ!
- જન્મકુંડળીમાં શનિદોષ હોય તો આવા સંકેતો મળે છે, સમયસર ઓળખો; નહીં તો બરબાદ થઈ જશો!