મંગળવારે રાત્રે ભીલવાડા પાસેથી પસાર થતા જયપુર-કોટા હાઇવે પર હનુમાન નગર ખાતે મોટી દુર્ઘટના બની હતી. ટિકડ ગામે વીજળી પડતાં હાઈવે ઉપરથી પસાર થતી એક ટ્રક પલટી મારી ગઈ હતી. ત્યારે આ ટ્રક 450 ઘરેલું LPG ગેસ સિલિન્ડરથી ભરેલ હતા. વીજળી પાડવાના કારણે ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને તેમાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આગને કારણે તેમાં રહેલા સિલિન્ડર એક પછી એક ફૂટ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાંના બધા સિલિન્ડરો એક પછી એક ફૂટ્યા હતા. અકસ્માત થયાના 15 કલાક બાદ એનએચ -52 હાઇવે હજી પણ બંધ છે. બુધવારે સવારે કોટા, અજમેર અને જયપુર જતા મુસાફરોને અટકાવવામાં આવ્યા હતા. તેઓને ડાયવર્ટ કરી હતી અને બસપોલી ટર્ન દ્વારા જહાજપુરથી મોકલવામાં આવી હતી.
બુધવારે સવારે પોલીસને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. ગેસ કંપનીના કર્મચારીઓને પણ બોલાવાયા હતા. ત્યારબાદ આસપાસના વિસ્તારોમાંથી સિલિન્ડરોના ટુકડા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે.ત્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત ટ્રક ચાલક અને નાવિકની દેવલી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સિલિન્ડર ભરેલી ટ્રક નસીરાબાદથી કોટાના ભવાનીમંડી તરફ જઇ રહી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે આશરે 5 થી 7 કિમી સુધી જ્વાળાઓ દેખાઈ રહી હતી. બનાવની જાણ થતાં હનુમાનનગર સ્થાનિક પોલીસ પણ હાઈવે પર દોડી ગઈ હતી, પરંતુ સિલિન્ડરો ફૂટતા રહ્યા હતા અને જ્વાળાઓ ફાટી નીકળી હતી, જેના કારણે ફાયર બ્રિગેડ કે પોલીસ બંને પાસે પહોંચવાની હિંમત કરી ન હતી.
Read More
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…
- રોહિણી નક્ષત્રને કારણે વાતાવરણમાં પલટો..ચોમાસા પહેલા ગુજરાત પર મોટું સંકટ આવશે, દરિયા હચમચી જશે