ગોંડલમાં કોરોનાની સારવાર માટે ઉછીના લીધેલા વેપારીના ત્રણ લાખ રૂપિયા ચોરાઈ ગયા

corona1 1
corona1 1

ગોંડલના ખોડીયારનગરમાં રહેતા અને ગુંદાળા ચોકડી વિસ્તારમાં દુકાન ધરાવતા મનોજભાઇ નાથાભાઇ ખાડિયા પોતાની માતા લાભુબેન કોરોના સંક્રમિત થતા તેણે ખાનગી હોસ્પિટલમાં 3 લાખની ડિપોઝિટ ભરવાની હોવાથી તેણે સુરતમાં કોઈ સંબંધી પાસે મદદ માંગી હતી.અને ઉછીના પૈસા મંગાવ્યા હતા

એક તરફ વ્યક્તિઓ ગરીબીમાં લાચાર બની રહ્યા છે, ત્યારે બીજી તરફ કોરોના રોગચાળાએ આવા લોકોને અનિશ્ચિત સ્થિતિમાં મૂકી દીધા છે. આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લાના ગોંડલમાં સામે આવ્યો છે. ગોંડલમાં ગુંદાળા ચોકડી પાસે દુકાન ધરાવતા વેપારીની માતા કોરોના થતા હોસ્પિટલમાં ડિપોઝીટ પેટે ભરવાનું કહેતા તેમને મિત્રો અને પરિચિતો પાસેથી રૂ.3 લાખ રકમ બેગી કરી અને ભરવા જય રહ્યા હતા ત્યારે એક્ટિવાના ડેકમાંથી પૈસા ચોરાતા તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા

જે બાદ તેઓએ આ રકમ એક્ટિવાના ડેકમાં મૂકી અને હોસ્પિટલમાં જવાની તૈયારી કરી. દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે રકમ ચોરી કરતા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વેપારીની ફરિયાદના આધારે તપાસ ઝડપી કરી હતી.

પીએસઆઈ બી.એલ. ઝાલાએ જણાવ્યું હતું કે તસ્કરો વારંવાર મનોજભાઇની દુકાન પર જમવા આવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર તસ્કરને તે કલાકોમાં પકડાશે. બધી રકમવસૂલ કરવામાં આવશે.

Read More