ખાનગી હવામાન આગાહી કરતી કંપની સ્કાયમેટે જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં 60 ટકા ઓછો રહેશે. ત્યારે સ્કાયમેટે અગાઉ 13 એપ્રિલ, 2021 ના રોજ હવામાનની આગાહી બહાર પાડી હતી ત્યારે દેશમાં સામાન્ય વરસાદની આગાહી કરી હતી,ત્યારે અપડેટ કરેલા અંદાજ પ્રમાણે આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં 60 ટકા ઓછો રહેવાની સંભાવના છે.
ગુજરાત, રાજસ્થાન, ઓડિશા, કેરળ અને ઉત્તર -પૂર્વ ભારતમાં ભૌગોલિક અસરની દ્રષ્ટિએ ઓછો વરસાદ થવાની સંભાવના છે.ત્યારે ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતા સેવાઈ છે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં વરસાદ સામાન્ય અથવા સામાન્યથી ઉપર રહ્યો છે. તેના કારણે દેશના મધ્ય ભાગમાં પાક પણ નબળો થવાની સંભાવના છે.
સ્કાયમેટે જૂનમાં 106 ટકા અને જુલાઈમાં 97 ટકા વરસાદની આગાહી કરી છે. ત્યારે તેની સરખામણીમાં જૂન અને જુલાઈમાં LPA માં 110 ટકા અને 93 ટકા વરસાદ થયો હતો. ત્યારે હાલની સ્થિતિને જોતા, સ્કાયમેટે તેની અગાઉની ચોમાસાની આગાહી બદલીને LPA ના 94 ટકા કરી દીધી છે.
હવામાન વિભાગના પ્રભારી નિયામક મોહંતીએ મીડિયાને જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ નથી.ત્યારે આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં વરસાદની કોઈ શક્યતા નથી. ત્યારે તેમણે જણાવ્યું કે ભારે વરસાદની સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ શહેરમાં પણ વરસાદની કોઈ શક્યતા નથી. અત્યાર સુધી હવાનું દબાણ ઉત્તર તરફ ફૂંકાઈ રહ્યું છે.
લાખો ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે.ત્યારે શ્રાવણ મહિનો અડધો થઈ ગયો છે પણ રાજ્યમાં હજુ પૂરતો વરસાદ થયો નથી. ત્યારે ગુજરાતમાં ચોમાસાની હજુ ઓછો વરસાદ પડે છે. ત્યારે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 46 ટકા વરસાદ ઓછો થયો છે. લાંબા વરસાદને કારણે ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો છે. ઘણા ખેડૂતો ચિંતિત બન્યા છે
આ વર્ષે ઓછા વરસાદને કારણે રાજ્યમાં પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે.ત્યારે નર્મદા ડેમમાં 45.51 ટકા પાણી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં 141 ડેમોમાં હાલમાં 40 ટકા પાણી રહ્યું છે. તો દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં હાલ 60% પાણી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો 17 ડેમોમાં 42% પાણીનો સંગ્રહ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 46 ટકા વરસાદ થયો છે.
આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા જપ્ત પડી શકે છે.ત્યારે ગુજરાત હજુ ચોમાસામાં અડધું છે પણ વરસાદ ઘટી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ હતો ત્યારે ખેડૂતોએ વાવેતર કર્યું હતું પણ ત્યારથી વરસાદ ખેંચાયો છે અને ખેડૂતો પાક બચાવવા વરસાદની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ સરકારે ખેડૂતોને પાણી આપવાની પણ જાહેરાત કરી છે.
Read More
- કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન વિભાગે જાહેર કરી આગાહી, જાણો ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર
- હનુમાનજીના આશીર્વાદથી આ રાશિના લોકોના ભાગ્યમાં આવશે તેજી..થશે ધનનો વરસાદ
- સોનાના ભાવમાં સતત ઘટાડો, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો, ચાંદી પણ 7000 રૂપિયા જેટલી તૂટી
- તુલા રાશિમાં મંગળ-કેતુનું ગોચર દેશ અને દુનિયા સહિત આ રાશિઓ પર પડી શકે છે ગંભીર અસર
- સોનાના ભાવમાં લાલચોળ તેજી…જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ