ચિની સિક્કાઓનું શું છે મહત્વ ? વાસ્તુ શાસ્ત્રમાં તેના શું ફાયદા છે, જાણો

fangsuicoin
fangsuicoin

વાસ્તુ શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે કે યોગ્ય અભ્યાસથી ગરીબ વ્યક્તિ પણ ધનિક બની શકે છે.ત્યારે વાસ્તુ ફેંગ શુઇ પ્રમાણે ધન અને ખુશી વધારવા માટેના ઘણા ઉપાયો છે. આ ઉપાયો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું વાતાવરણ બને છે.અને આ સાથે, ઘણા આરોગ્ય લાભો પણ થાય છે અને આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે. ત્યારે આજે વાસ્તુ ફેંગ શુઇ પ્રમાણે અમે તમને આવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ.

જે ઘરમાં સકારાત્મકતા લાવે છે તેનાથી ઘરની કોઈ આર્થિક સમસ્યા ખતમ થઈ જશે અને ઘરમાં પૈસાની વરસાદ શરૂ થશે. ત્યારે ફેંગ શુઈના જણાવ્યા પ્રમાણે સિક્કાને ઘરના દરવાજા પર લાલ રિબનથી બાંધવાથી ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે.

વાસ્તુ શાસ્ત્રમાં આવા સિક્કાઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે.ત્યારે ધ્યાનમાં રાખો કે ફક્ત ત્રણ સિક્કા જ બાંધવા જોઈએ અને તે પણ દરવાજાની અંદરની બાજુએ. આનાથી વધારે સિક્કા મૂકવાથી તમને કોઈ ફાયદો થશે નહીં.

સિક્કો હંમેશાં ઘરના મુખ્ય દરવાજા પર રાખવા જોઈએ.અને તેનાથી લક્ષ્મીજી રોજ ઘરમાં પ્રવેશ કરશે. ચિની સિક્કાઓ જીવનમાં પૈસા કમાવવા માટે વપરાય છે.

એવું કહેવામાં આવે છે કે કોઈના પર્સમાં ત્રણ સિક્કા રાખવાથી સંપત્તિ ઓછી થતી નથી અને તેને શુકન તરીકે પણ કહેવામાં આવે છે. આ સિક્કા જુના લાગે છે અને તેમની વચ્ચે અંતર છે.

Read More