ભારતમાં કેટલા લોકો પાસે 100 કરોડથી વધારે રૂપિયા છે, તમને જાણીને આશ્ચર્ય થશે

rupiyasd
rupiyasd

ભારતમાં 100 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યા નોંધપાત્ર છે.ત્યારે આવી મિલકતની કુલ આવક ધરાવતા વ્યક્તિઓની સંખ્યા 2020-21માં 136 હતી ત્યારે આ લોકોની સંખ્યા 2019-20માં 141 અને 2018-19માં 77 હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે છેલ્લા 3 આકારણી વર્ષ 2020-13 દરમિયાન આવકવેરા વિભાગમાં દાખલ કરાયેલા આવકવેરા રિટર્નમાં 100 કરોડથી વધુની કુલ આવક જાહેર કરનાર વ્યક્તિઓની સંખ્યા 20-21 માં 136 છે

ભારતમાં 27 કરોડ ગરીબ છે

ગરીબીના અંદાજ પ્રમાણે વર્તમાન તેંડુલકર સમિતિની પ્રણાલીને અનુસરીને 2011-12માં ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 27 કરોડ હોવાનો અંદાજ હતો.ત્યારે નાણામંત્રીએ જણાવ્યું કે સરકારે ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ પર ભાર મૂકતા વિવિધ યોજનાઓ શરૂ કરી હતી જેનો ઉદ્દેશ લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો અને ઝડપી સમાવેશી વૃદ્ધિ તરફ દોરી જવાનો છે.

વધુમાં તેમણે જણાવ્યું કે એપ્રિલ 2016 માં સંપત્તિ કર નાબૂદ કરવામાં આવ્યો હતો ત્યારે સીબીડીટી હવે વ્યક્તિગત કરદાતાની સંપૂર્ણ સંપત્તિ વિશે કોઈ માહિતી રાખતી નથી.ત્યારે તેમણે કહ્યું કે સત્તાવાર ગરીબીનો અંદાજ આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયની રાષ્ટ્રીય નમૂના સર્વે કાર્યાલય (NSSO) દ્વારા હાથ ધરવામાં આવેલા ઘરેલુ ગ્રાહક ખર્ચ પર સર્વે પર આધારિત છે.

શું તે સાચું છે કે લોકડાઉન દરમિયાન દેશમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.ત્યારે નાણામંત્રીએ જણાવ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) પાસે ઉપલબ્ધ માહિતી પ્રમાણે પ્રત્યક્ષ કર હેઠળ ટ્રિલિયોનેર શબ્દની કોઈ કાયદાકીય અથવા વહીવટી વ્યાખ્યા નથી.

Read More