દરેક ગ્રહ પોતાના સમય અનુસાર એક રાશિમાંથી બીજી રાશિમાં જતા હોય છે. ત્યારે હવે સૂર્ય ગ્રહની રાશિ ગુરુ હવે મીન રાશિમાં બદલાઈ રહી છે. આજે 14 માર્ચે સૂર્ય ભગવાન બપોરે 12:46 કલાકે મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તે 13મી એપ્રિલ સુધી ત્યાં જ રહેવાના છે. 13 એપ્રિલે સૂર્ય ભગવાન મીન રાશિમાંથી બહાર નીકળીને રાત્રે 09:15 કલાકે મેષ રાશિમાં સંક્રમણ કરવાના છે. સૂર્ય લગભગ 1 મહિના સુધી મીન રાશિમાં રહેશે. આ બધા જ ફેરફારના કારણે 6 રાશિના લોકો પર સૂર્ય સંક્રમણની શુભ અસર થશે અને અઢળક ફાયો પણ થશે. તો આવો જાણીએ કોણ છે આ નસીબદાર લોકો…
મકરઃ
સૂર્યનું સંક્રમણ તમારી રાશિના લોકો માટે સફળતા અપાવશે. આ સમય દરમિયાન તમને કોઈ નવું કામ મળી શકે છે અથવા તમે જે પણ કાર્ય કરવા માંગો છો તેમાં તમને સફળતા મળી શકે છે. તમે નવા પડકારોનો સામનો કરવામાં સફળ રહેશો.
મીન:
સૂર્ય ભગવાન તમારી રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે. નોકરી કરતા લોકોને તેમની ઈચ્છિત નોકરી મેળવવામાં સફળતા મળી શકે છે. વિદેશી નાગરિકતા મેળવવામાં સફળતા મળી શકે છે. કામ પર સહકર્મીઓનો સહયોગ મળશે.
તુલા:
સૂર્યનું રાશિ પરિવર્તન તમારા માટે શુભ રહેશે. વેપાર કરતા લોકો પોતાની બનાવેલી યોજનાઓમાં સફળતા મેળવી શકે છે. તમે તમારી શક્તિથી તમારા ગુપ્ત દુશ્મનોને હરાવવામાં સફળ થઈ શકો છો. કોર્ટ-કચેરી સંબંધિત મામલાઓમાં તમને સારા સમાચાર મળી શકે છે.
વૃશ્ચિક:
સૂર્યના ગોચરથી તમારી રાશિના લોકોને કોઈ પુરસ્કાર અથવા સિદ્ધિ મળી શકે છે. 14 માર્ચથી તમે નવી ઉર્જાનો અનુભવ કરશો, જેના કારણે તમે કાર્યસ્થળમાં થોડો ફેરફાર કરી શકો છો. જેમના લગ્ન એક-બે વર્ષમાં થઈ ગયા છે, તેમના સંતાન સુખી થવાની સંભાવના છે.
વૃષભ:
મીન રાશિમાં સૂર્યના આગમનને કારણે તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોતો વિકસાવી શકશો. તમારી નોકરીમાં તમને પ્રમોશન અને પોસ્ટિંગ મળવાની સંભાવના છે.
મિથુનઃ
સૂર્યદેવની કૃપાથી તમને વિદેશી કંપનીમાં નોકરી મળી શકે છે. કાર્યસ્થળ પર લીધેલા નિર્ણયો તમારી પ્રગતિ તરફ દોરી જશે. તમારી પ્રશંસા થશે. આ સંક્રમણ તમારા દુ:ખ દૂર કરશે અને તમને માનસિક શાંતિ આપશે.