ભારતની ક્રિકેટ ટીમમાં ઘણા અલગ અલગ ખેલાડીઓ જોવા મળે છે. કેટલાક ખેલાડીઓ એવા છે જેમની શાનદાર કારકિર્દી ઈજાના કારણે બરબાદ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ આ ખેલાડીઓની કારકિર્દીનો અંત આવી જાય છે. તો બીજી તરફ કેટલાક એવા ખેલાડીઓ છે જેમની કારકિર્દી તેમના પ્રેમ અથવા મનપસંદ મહિલાના કારણે ખતમ થઈ જાય છે અને તેની સાથે તેમને માનસિક તણાવમાંથી પણ પસાર થવું પડે છે. આજે એક આવા જ ખેલાડી વિશે વાત કરવી છે.
ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટ્સમેન શિખર ધવનની કારકિર્દીની વાત કરીએ તો જ્યારે એ ઉંચાઈઓને સ્પર્શી રહ્યો હતો, ત્યારે તેની પત્ની આયેશા મુખર્જીના કારણે તેની પથારી ફરી ગઈ અને પછી એવો સમય આવ્યો એટલે તરત જ ભારતીય બેટ્સમેન ટીમે બીજા ખેલાડીને ટીમમાં રમાડવા માટે શરૂઆત કરી અને શિખરના કરિયર પર મોટો પ્રશ્ન આવીને ઉભો રહી ગયો.
શિખર ધવનનું કરિયર
જો ટીમ ઈન્ડિયાના સર્વશ્રેષ્ઠ ઓપનર શિખર ધવનના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શિખર ધવને ટીમ ઈન્ડિયા માટે રમાયેલી 34 ટેસ્ટ મેચોની 58 ઈનિંગ્સમાં 40.61ની એવરેજથી 2315 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેણે 7 સદી અને 5 અડધી સદી પણ ફટકારી છે.
શિખર ધવનની ODI કારકિર્દીની વાત કરીએ તો તેણે ભારતીય ટીમ માટે રમાયેલી 167 મેચોની 164 ઇનિંગ્સમાં 44.41ની એવરેજથી 6793 રન બનાવ્યા છે, જે દરમિયાન તેણે 17 સદી અને 39 અડધી સદી ફટકારી છે.
જ્યારે T20 ક્રિકેટમાં શિખર ધવને 68 મેચની 66 ઇનિંગ્સમાં 27.92ની એવરેજથી 1759 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેણે પોતાના બેટથી 11 અડધી સદી ફટકારી છે.
શિખર ધવને છૂટાછેડા લઈ લીધા
ટીમ ઈન્ડિયાના સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેનોમાંના એક શિખર ધવને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી અને લગભગ એક દાયકા સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય ઓપનિંગ બેટ્સમેન તરીકે રમ્યો છે. પરંતુ તેની પત્નીએ તેને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું અને તેને તેના પરિવારથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો. આ કારણોસર શિખર ધવને કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી અને કોર્ટે શિખર ધવનની તરફેણમાં ચુકાદો આપીને છૂટાછેડા સ્વીકારી લીધા હતા.
શિખર ધવનની છૂટાછેડાની અરજી સ્વીકારીને કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. પરંતુ તેની સાથે કોર્ટે શિખર ધવન અને તેની પત્નીના પુત્ર જોરાવર ધવનની કસ્ટડી બાળકની માતાને આપી છે અને એવો પણ આદેશ આપ્યો છે કે નિર્ધારિત સમય બાદ બંનેને વાત કરવાની તક આપવામાં આવે.