જાડા લોકોને હાર્ટ એટેકનું જોખમ સૌથી વધારે રહે છે? સ્થૂળતા અને હૃદય વચ્ચે શું સંબંધ છે? સમજી લો આખી વાત
શરીરથી જાડા લોકોને જીવનમાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ શરીરની આ સ્થૂળતા અનેક રોગોને પણ આમંત્રણ આપે છે. લોકો શરીર ઘટાડવા માટે અલગ અલગ મહેનત પણ કરતા રહે છે. પરંતુ હવે જે વાત સામે આવી રહી છે એ ખરેખર ચોંકાવનારી છે. શરીરમાં સ્થુળતાના કારણે હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને હાઈ બીપીનું જોખમ રહેલું છે. જેના કારણે હાર્ટ ફેલ્યોર, હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો રહે છે.
આજકાલ સ્થૂળતા એક મોટી સમસ્યા બની ગઈ છે. કારણ કે સ્થૂળતા અનેક રોગોનું કારણ છે. સ્થૂળતા ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને હૃદયની સમસ્યાઓનું જોખમ વધારે છે. ‘સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન’ અનુસાર, હાઈ બીપી અને બ્લડ શુગર જેવી સમસ્યાઓ સ્થૂળતાના કારણે શરૂ થાય છે. આ એવી વસ્તુઓ છે જે હૃદયને ઘણું નુકસાન પહોંચાડે છે. આ એટલા ખતરનાક છે કે તેઓ હાર્ટ ફેલ્યોર અને હાર્ટ સ્ટ્રોક સુધી પણ પરિણમી શકે છે.
જ્યારે લોહી સ્નાયુઓ સુધી યોગ્ય રીતે પહોંચતું નથી ત્યારે વ્યક્તિનું હૃદય કામ કરવામાં નિષ્ફળ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે. લોહીના કારણે જ આખા શરીરમાં ઓક્સિજન પહોંચે છે. જ્યારે હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ બ્લોક થઈ જાય છે અને ત્યાં લોહી અને ઓક્સિજન યોગ્ય રીતે પહોંચતું નથી, ત્યારે હૃદય બંધ થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિનું વજન વધવાનું શરૂ થાય છે, ત્યારે તેના સ્નાયુઓને લોહીનો પુરવઠો ધીમો પડી જાય છે. અથવા લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે એવું પણ કહી શષય.
ઘણી વખત સ્થૂળતાના કારણે નસોમાં કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે. જેને દૂર કરવી ખૂબ જ મુશ્કેલ છે. જેના કારણે હાર્ટ ફેલ્યોર થવાનો ખતરો વધી જાય છે. સ્થૂળતાના કારણે હાઈ બીપી, ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા થાય છે. આ મેટાબોલિક સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે.
જ્યારે વ્યક્તિનું કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે ટ્રાઈગ્લિસરાઈડ્સનું જોખમ પણ વધી જાય છે. આ હૃદય રોગની સીધી નિશાની છે. સ્થૂળતાના કારણે કેટલાક લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા હોય છે. મેડિકલ ભાષામાં તેને સ્લીપ એપનિયા કહેવાય છે. સ્થૂળતાના કારણે કેટલાક લોકોને જોરથી નસકોરા આવવાની સમસ્યા હોય છે. જેના કારણે રાત્રે થોડી સેકંડ માટે શ્વાસ પણ બંધ થઈ શકે છે. તે હૃદયની નિષ્ફળતાનું જોખમ વધારે છે.