ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર ક્રેશ થયું હતું. વિમાન લંડન જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા છે. કલાકો સુધી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું છે કે વિમાન ક્રેશ થયા પછી, વિમાનની અંદર અને આસપાસનું તાપમાન લગભગ 1,000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.
જેના કારણે, ફાયર બ્રિગેડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વિમાન અથડાતા જ ટાંકી ફાટી ગઈ અને આગ લાગી ગઈ. જેના કારણે થોડીવારમાં તાપમાન 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. તાપમાન એટલું વધી ગયું કે કોઈને બચવાનો મોકો મળ્યો નહીં. SDRFના અન્ય એક અધિકારીએ દાવો કર્યો હતો કે તાપમાન એટલું વધી ગયું કે સ્થળ પર હાજર કૂતરા અને પક્ષીઓ પણ તેનો ભોગ બન્યા. તેમને બચવાનો મોકો મળ્યો નહીં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 8.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. પ્રધાનમંત્રી સવારે 9 વાગ્યે ક્રેશ સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે 10 મિનિટ રોકાયા. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને અનેક વરિષ્ઠ અધિકારીઓએ પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પછી, પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલમાં દાખલ ઘાયલોને મળ્યા હતા. પ્રધાનમંત્રીએ ઘાયલોને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.