જો તમે નબળાઇની સમસ્યાથી પરેશાન છો, તો તમારે અખરોટનું સેવન કરવું જોઈએ અખરોટનું નિયમિત સેવન કરવાથી મગજ હંમેશાં સ્વસ્થ રહે છે અને હૃદય સંબંધિત રોગોનું જોખમ પણ ઘણી હદ સુધી ઓછું થઈ જાય છે.ત્યારે અખરોટ મેમરીને મજબૂત બનાવે છે.
જાણીતા આયુર્વેદના જણાવ્યા પ્રમાણે તંદુરસ્ત ચરબી, ફાઇબર, વિટામિન અને ખનિજોથી ભરપુર અખરોટ મગજની તંદુરસ્તી અને યાદશક્તિ માટે જ ફાયદાકારક નથી, પણ તમારા એકંદર સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા -3 ફેટી એસિડ જેવા ઘણા પોષક તત્વો રહેલા હોય છે. તેને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે.
આયુર્વેદના ડોકટરના જણાવ્યા પ્રમાણે અખરોટને કાચો ખાવાને બદલે તેને પલાળીને ખાવાથી વધી લાભ થાય છે આ માટે રાત્રે સૂતા પહેલા 3 અખરોટને પલાળી નાખો અને સવારે ઉઠ્યા પછી ખાલી પેટ ખાઓ. પલાળેલા અખરોટ ઘણા રોગોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
અખરોટ ના 5 ફાયદા
અખરોટ શરીરના મેટાબોલિજ્મમાં વધારો કરે છે અને શરીરમાંથી વધારાની ચરબી દૂર કરે છે.તેમાં ફાઇબર ભરપુર માત્રા હોય છે, જે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. તેમાં મળતું આલ્ફા-લિનોલેનિક એસિડ હાડકાંને મજબૂત રાખે છે. અખરોટમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ ભરપૂર હોય છે, જે તમારા હૃદય માટે ફાયદાકારક છે. તેને ખાવાથી સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોરેક્ટલ કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ ઓછું થઈ શકે છે.
આયુર્વેદ ડોકટરના જણાવ્યા પ્રમાણે અખરોટ પુરુષોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ત્યારે અખરોટમાં એવાગુણધર્મો છે, જે વી-ર્-યની ગુણવત્તામાં સુધારો કરે છે. આહારમાં શામેલ કરવાથી ગણતરી, ગતિશીલતા સુધરે છે, જે શક્તિની નબળાઇ દૂર કરવામાં મદદ કરે છે. શક્તિ વધારવા માટે અખરોટનું સેવન ખૂબ ફાયદાકારક છે.
Read More
- શું RCB પર IPL 2026માંથી પ્રતિબંધ મૂકવામાં આવશે? BCCI કેવી રીતે અને શા માટે મોટો નિર્ણય લઈ શકે છે; અહીં જાણો
- મંગળ અને ચંદ્રનો શક્તિશાળી મહાલક્ષ્મી રાજયોગ, 3 રાશિના લોકો ખૂબ જ ધનવાન બનશે, બિનજરૂરી ખર્ચાઓ બંધ થશે, તમને નવી નોકરી મળશે
- ખતરો હજુ ટળ્યો નથી! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી
- Jio ધડાકો , 336 દિવસનો પ્લાન 100 રૂપિયાથી પણ ઓછા ભાવે
- મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણી કઈ મોંઘી શાળામાં અભ્યાસ કરે છે? આટલી બધી ફી…