બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામના વતની છે દેવ પગલી.ત્યારે દેવ પાગલીનું સાચું નામ દેવ પુરી છે. ત્યારે ગાયક બનતા પહેલા ક્રિકેટર કે એક્ટર બનવા માંગતા હતા. ત્યારે હીરો બનવા માટે ઘરેથી ભાગી પણ ગયા હતા અને મુંબઈ પહોંચ્યા હતા ત્યાં અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીને મળવાની કોશિશ કરી પરંતુ તેમાં સફળતા મળી ન હતી. બાદમાં ક્રિકેટર બનવાની આશા મુંબઈથી વડોદરા આવ્યા ત્યાં નયન મોંગિયા અને ઈરફાન પઠાણના ઘરે મળવા પહોંચ્યા હતા. દેવ પાગલીને ઈરફાન પઠાણના પિતાને મળ્યા હતા ક્રિકેટર કે એક્ટર બનવાનું સપનું અધૂરું જ રહ્યું.
દેશભરમાં ધૂમ મચાવનાર હિન્દી ગીત ‘ચાંદ વાલા મુખડા’ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.ત્યારે આ ગીતે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સારું પ્રદર્શન કર્યું છે. અને આ ગીતે ઈન્સ્ટાગ્રામ રીલ્સના મામલે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશભરમાં 47 લાખથી વધુ લોકોએ આ ગીતની રીલ બનાવી છે. ગુજરાતી સિંગર દેવ પાગલીએ રીલ્સની રેસમાં બાદશાહ અને અક્ષય કુમારને પાછળ છોડી દીધા છે.
દેવ પગલી ઘરેથી નીકળ્યા બાદ લાંબા સમય વીત્યા બાદ પાછો ફર્યો ન હતા ત્યારે ઘર છોડીને જતા તેમના પિતા પાગલ થઈ જતા અને મૃત્યુ પામ્યા. ત્યારે જ દેવ પગલીએ એક વખત તેની માતાને જણવ્યું કે, “મારા પિતાનો પુત્ર વિયોગમાં મૃત્યુ થયું છે, તેથી હવે હું આખી દુનિયાને પાગલ કરીશ.”
દેવ પગલીએ તેના ગામમાં ઘર કાચું જ રાખું છે તેને પાકું નથી બનાવ્યું કારણ કે તેનું માનવું છે કે આ ઘર જોઈને તેને પોતાના ઓકાત યાદ આવી જાય છે. સફળતા પછી પણ જમીન સાથે જોડાયેલા રહેવા માટે આ જૂનું ઘર રાખ્યું છે. ચાંદ વાલા મુખડા ગીતની જોરદાર સફળતા બાદ દેવ પાગલીએ તેની 1 લાખ રૂપિયા થી વધારીને 30 લાખ રૂપિયા કરી દીધી છે. જો કે, એક દિવસ દેવ પાગલીની માતા અને બહેનોને પણ ખેતરમાં કામ કરવું પડ્યું.
દેવ પગલીએ તેમની કારકિર્દી ગીતકાર તરીકે શરૂ કરી હતી. અને આ દરમિયાન તેઓ કિંજલ દવેના એક ગીતમાં અભિનય કરવાનો મોકો મળ્યો હતો.ત્યારે દેવ પગલીએ ધીમે ધીમે ગાવાનું શરૂ કર્યું અને ત્યારબાદ ગાયક તરીકે સફળતા મેળવી હતી.હવે તેઓ ‘લાખ રૂપિયા નુ ઘાઘરો’ ગીત દેવ પગલીની કારકિર્દીમાં એક વળાંક લાવ્યો છે. ત્યારે આ ગીત પછી ક્યારેય પાછું વળીને જોયું નથી. ત્યારે દેવ પગલીએ એક જ મહિનામાં ‘માટલા ઉપર માટલું’ અને ‘ચાંદ વાલા મુખડા’ જેવા બેક ટુ બેક હિટ ગીતો આપીને આખા દેશને પાગલ કરી દીધો છે.
Read More
- સોનાનો ભાવ ક્યારે ૫૬,૦૦૦ રૂપિયા સુધી પહોંચશે? જાણો નિષ્ણાતો શું કહે છે
- લોકોને મળશે રાહત! 1 કરોડ સુધીની લોન પર મહત્તમ 5,000 સ્ટેમ્પ ડ્યૂટી લાગશે…
- સોનાના ભાવમાં સર્વકાલીન ઉચ્ચતમ સ્તર બનાવ્યા બાદ ઘટાડો, બે દિવસમાં પીળી ધાતુના ભાવમાં 2,700 રૂપિયાથી વધુનો ઘટાડો
- આ 7 કારણોસર શેરબજારે યુ-ટર્ન લીધો, 20 મિનિટમાં 7.7 લાખ કરોડ રૂપિયા રિકવર થયા
- સોનાનો ભાવ ક્યારે ૫૬,૦૦૦ રૂપિયા સુધી પહોંચશે? જાણો નિષ્ણાતો શું કહે છે