અમરેલી-ભાવનગરના હિપાવાડલી, મોટા અગરિયા અને જેસર ગામોમાં અસરગ્રસ્ત લોકોની હાલત ભયંકર બની છે.ત્યારે લોકોને રાહત સામગ્રીની આશાએ જીવન જીવવા ફરજ પડી છે.ત્યારે એટલું જ નહીં એવું પણ જાણવા મળ્યું છે કે અંધકારમાં રહેતા લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.
સુરતનાં નિવૃત્ત પીડબ્લ્યુડી અધિકારી દિનેશભાઇ પરમારે જણાવ્યું હતું કે તેમણે જે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી તે દયનીય સ્થિતિમાં છે. ગામના લગભગ તમામ વીજ થાંભલા પડી ગયા છે. છાવડા ગામોમાં હજી સુધી કોઈ સરકારી સહાય પહોંચી નથી. વીજ પુરવઠો લાવવામાં લગભગ 25 દિવસનો સમય લાગશે.
સરકાર સામે લોકોમાં રોષ છે. જમવાની વાતતો દૂર, આ ગામના લોકોને રાહત સામગ્રી સુરત સહિત અન્ય શહેરોથી આવતી કિટ્સ ઉપર જીવવાની ફરજ પડી છે. ત્યારે બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને પુરુષો પાણી માટે રખડતા જોવા મળે છે. ઘણા પરિવારોએ તેમના મકાનો સંપૂર્ણ અથવા આંશિક રીતે તૂટી પડ્યા છે. લોકોને રસ્તા પર જીવવાની ફરજ પડે છે. આ ગામના લોકો એવા દ્રશ્યો જોઈને હૃદયભંગ થઈ ગયા છે કે જ્યાં તેઓ તેમના પરિવારની સંભાળ પણ ન રાખી શકે.
Read More
- મુકશે અંબાણીનો બધું એક ધમાકો : હવે માર્કેટમાં સસ્તા ભાવે વેચશે ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને એસી
- શનિવારે આ મંત્રોના જાપ કરવાથી શનિદેવ થશે પ્રસન્ન, તમને થશે લાભ અને તમારા ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ…
- મત આપી આવો અને મેળવો ખુબ મોટું ડિસ્કાઉન્ટ, ફૂડથી લઈને ફ્લાઈટ સુધી મતદારો માટે ઓફરોનો ઢગલો
- દરરોજ સ્નાન કરીને લોકો ત્વચાને બગાડી રહ્યાં છે? જાણો અઠવાડિયામાં કેટલી વાર સ્નાન કરવામાં ફાયદો છે
- 7 તારીખે મત આપવા જાવ છો? પહેલા આ વસ્તુ ઓનલાઈન ચેક કરી લો, નહીં તો હેરાન-પરેશાન થઈ જશો