મેઘરાજા ફરી કરશે ધમાકેદાર એન્ટ્રી! અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે જણાવી ધોધમાર વરસાદની તારીખો

અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રહ્યું છે, કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે જ્યારે કેટલીક જગ્યાએ હજુ પણ ઓછો વરસાદ પડ્યો છે. ખાસ કરીને દક્ષિણ…

varsad

અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રહ્યું છે, કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે જ્યારે કેટલીક જગ્યાએ હજુ પણ ઓછો વરસાદ પડ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી અને વલસાડમાં એટલો વરસાદ પડ્યો કે પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ. બીજી તરફ, જાદ્વારકા-કચ્છ સહિત અન્ય સ્થળોએ ઓછો વરસાદ પડ્યો છે. આવી સ્થિતિમાં, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને આજે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 8 થી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો 15 થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી આગાહી છે. માછીમારોને દરિયામાં ન જવાની અપીલ કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં હવામાન ગ્રહોના ગોચર અને નક્ષત્રોની સ્થિતિના આધારે બદલાશે. અંબાલાલે જણાવ્યું હતું કે 5 ઓગસ્ટથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને હળવો વરસાદ પડી શકે છે. અંબાલાલે જણાવ્યું હતું કે 8 ઓગસ્ટથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ શરૂ થઈ શકે છે. આ ઉપરાંત, 10 થી 15 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

દ્વારકા પંથમાં ઓછો વરસાદ
ચોમાસાનો અડધો સમય વીતી ગયો હોવા છતાં, દ્વારકા પંથમાં માત્ર 4 ટકા વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી છે… બીજી તરફ, ખંભાળિયા તાલુકા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોએ વરસાદની આશામાં જે પાક વાવ્યા હતા તેને વરસાદના અભાવે નુકસાન થયું છે…. સ્થાનિક ખેડૂતોએ દાવો કર્યો હતો કે સ્થાનિક નદીઓ, નહેરો, ચેકડેમ, મોટા ડેમ, કુવા અને બોરવેલમાં પૂરતું પાણી નથી…. વરસાદના અભાવે પશુપાલન પર પણ સીધી અને ગંભીર અસર પડી છે…. પાણી અને ઘાસચારાની વિકટ પરિસ્થિતિને કારણે ખેડૂતો અને પશુપાલકોએ સરકાર પાસેથી રાહત પેકેજની માંગ કરી છે.

સરદાર સરોવર ડેમનું સ્તર વધ્યું
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનું સ્તર વધ્યું છે. ઉપરવાસમાં વરસાદ ચાલુ હોવાથી ડેમમાં પાણી આવી રહ્યું છે. ઉપરવાસમાંથી ૩૫ હજાર ૭૮૮ ક્યુસેક પાણી વહી રહ્યું છે. ડેમનું સ્તર ૧૩૨.૩૬ મીટર પર પહોંચી ગયું છે. ડેમનું મહત્તમ સ્તર ૧૩૮.૬૮ મીટર છે. ૨૪ કલાકમાં લેવલ ૩૧ સેન્ટિમીટર વધ્યું છે. નર્મદા ડેમ ૭૫ ટકા ભરાઈ ગયો છે. જે જનતા માટે રાહતના સમાચાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *