Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad
    ખતરો હજુ ટળ્યો નથી! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી
    June 7, 2025 3:47 pm
    varsad 3
    ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે
    June 6, 2025 3:46 pm
    ambalal
    ગુજરાતમાં આ તારીખથી ચોમાસાની થશે વિધિવત એન્ટ્રી, અંબાલાલે કરી દીધી સ્પષ્ટતા
    June 2, 2025 12:39 pm
    vavajodu
    ડંકાની ચોટ પર લખી રાખજો! ફરી બની રહ્યું છે વાવાઝોડું; 70 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાશે
    May 30, 2025 10:09 am
    varsad
    એક નહીં ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતા બે દિવસ રહેશે ભારે, આ જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
    May 28, 2025 8:16 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking news

મોદી સરકારનો યુવાઓ માટે માસ્ટર પ્લાન, બેરોજગારીથી મળશે છૂટકારો, 4.10 કરોડ યુવાઓને મળશે લાભ

janvi patel
Last updated: 2024/08/08 at 4:06 PM
janvi patel
11 Min Read
modi 1
SHARE

દિલ્હી : લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બેરોજગારીની સમસ્યાને ઉકેલવા માટે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટ પર સંપૂર્ણ ભાર આપવામાં આવ્યું છે. તેના મહત્વનો અંદાજો તેના ઉપરથી લગાવવામાં આવી શકે છે કે નાણામંત્રી સીતારમણે પોતાના બજેટ ભાષણમાં રોજગાર શબ્દનો ઉલ્લેખ 57 વખત કર્યો છે. નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી જ યુવાનોની રોજગારી અંગે વાત કરતા આવ્યા છે અને મોદી સરકારે બજેટમાં બેરોજગારી માટે જોગવાઈઓ પણ કરી છે.

બજેટની નવ પ્રાથમિકતાઓમાં પણ રોજગાર અને કૌશલ વિકાસ બીજા સ્થાન પર છે. સીતારમણના જણાવ્યા અનુસાર, આવનારા બેથી ચાર વર્ષમાં આનાથી ચાર કરોડ 10 લાખ યુવાઓને રોજગાર મળશે. તે ઉપરાંત આ કામગીરીને લઈને બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

વડાપ્રધાન રોજગાર અને કૌશલ પ્રશિક્ષણ પેકેજ હેઠળ ખાનગી કંપનીઓ માટે ત્રણ રીતના પ્રોત્સાહનની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ પ્રોત્સાહન પેકેજ હેઠળ ખાનગી કંપનીઓમાં પ્રથમ વખત નોકરી મેળવનાર યુવાઓની પ્રથમ મહિનાનો પગાર સરકાર તરફથી કરવામાં આવશે. આ પગાર ત્રણ હપ્તાઓમાં આપવામાં આવશે.

સરકારનું અનુમાન છે કે, આનાથી એક વર્ષમાં એક કરોડથી વધારે યુવાઓને રોજગાર મળી શકે છે. બે વર્ષ સુધી ચાલનારી આ યોજના પર 23 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. તે ઉપરાંત ઈપીએફઓમાં અંશદાન કરનારા ગ્રાહકોને ઇન્ફાસ્ટ્રક્ચર (બાંધકામ) ક્ષેત્રમાં નવી નોકરીઓ ઉભી કરવામાં સહાયતા આપવામાં આવશે. આ હેઠળ ઈપીએફઓમાં જમા થનારી નિયોક્તિ અને કર્મચારીઓના એક ભાગની ચુકવણી સરકાર કરશે.

આ સાથે જ મોટા પ્રમાણમાં પ્રથમ વખત રોજગાર આપનારી કંપનીઓ માટે અલગથી નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત એક વર્ષમાં 50 અથવા તેનાથી વધારે નવી નોકરીઓનું સર્જન કરનારા કોર્પોરેટ અને ગેર-કોર્પોરેટ કંપનીઓમાં પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાઓના પગારનો એક હિસ્સો સરકાર આપશે.

પ્રોત્સાહન રાશિ નિયોક્ત અને કર્મચારીઓ વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવશે. આમાં પણ એક લાખ રૂપિયાથી ઓછો પ્રતિમહિને પગાગ હોવાની શરત છે. પરંતુ પ્રતિમહિને 25 હજારથી વધારે પગાર હોવાની સ્થિતમાં પણ પ્રોત્સાહન રાશિ 25 હજાર રૂપિયાનું વેતનના હિસાબથી જ આપવામાં આવશે. આનાથી 50 લાખ યુવાઓને નોકરી મળવાનું અનુમાન છે અને આના પર 32 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

પ્રશિક્ષણ દરમિયાન યુવાઓને દર મહિને પાંચ હજાર રૂપિયા ઇન્ટર્નશિપ મળશે. ટ્રેનિંગનો ખર્ચ કંપનીના સીએસઆર ફંડથી ઉઠાવવામાં આવશે. આ યોજના હેઠળ 21થી 24 વર્ષના યુવાઓ આવેદન કરી શકે છે. એક કરોડ યુવાઓના ઇન્ટર્નશિપ પર કુલ 63 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. તે ઉપરાંત સરકારે આગામી પાંચ વર્ષમાં 30 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી 1000 આઈટીઆઈ અપગ્રેડ કરવાનો પણ પ્લાન છે. તેનાથી 20 લાખ યુવાઓને કૌશલ વિકાસ કરવામાં આવશે.


અંતરિક્ષ ક્ષેત્ર ભારતનો ડંગો વગાડવા પીએમ મોદીનું નવું મિશન, 1000 કરોડ રૂપિયાનું બનાવાશે વેન્ચર કેપિટલ ફંડ

નરેન્દ્ર મોદી સરકારમાં સ્પેસ ક્ષેત્ર ભારતે અનેક સિદ્ધિઓ સર કરી છે. ત્યારે કેન્દ્રમાં રહેલી નરેન્દ્ર મોદી સરકાર આગામી 10 વર્ષ સ્પેસ સેક્ટરને પાંચ ગણો વધારવા માટે 1000 કરોડ રૂપિયાનું વેન્ચર કેપિટલ (VC) ફંડ બનાવશે. આમાં ભારતને સ્પેસ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે. આ ફંડ પ્રાઇવેટ સેક્ટરમાં સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં રિસર્ચ, ઇનોવેશન અને વિકાસને પ્રોત્સાહન આપશે.

આ 1 લાખ કરોડ રૂપિયાના મોટા ફંડનો ભાગ છે, જે અલગ-અલગ ઉદ્યોગોમાં પ્રાઇવેટ સેક્ટરના ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્પેસ ટેકનોલોજીમાં કામ કરનારી કંપનીઓને નેશનલ ઇન્ડિસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ સ્વીકૃત 12 ઇન્ડસ્ટ્રિયલ પાર્કોમાં જગ્યા આપવામાં આવશે.

સ્પેસ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિયોએ આ પ્રસ્તાવનું સ્વાગત કર્યું. ઇન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA)ના મહાનિર્દેશક, લેફ્ટિનેંટ જનરલ એકે ભટ્ટાએ કહ્યું, આગામી દશકામાં ભારતની અંતરિક્ષ અર્થવ્યવસ્થાને પાંચ ગણી વધારવાની બજેટની દ્રષ્ટિ આ ક્ષેત્ર પ્રત્યે સરકારની મજબૂત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે કહ્યું કે આ ઉપાય ભારતના સ્પેસ ઇકોસિસ્ટમના વિકાસ અને વૃદ્ધિ માટે જરૂરી છે.

બેંગ્લોર સ્થિત દિગંતરા, જે અંતરિક્ષની મેપિંગ કરે છે અને જેને પીક XV પાર્ટનર્સ અને સિડબી જેવી કંપનીઓ પાસેથી ફંડિંગ મેળવી છે. તે કંપનીએ કહ્યું કે “અંતરિક્ષ જેવા વ્યૂહાત્મક ક્ષેત્ર માટે વધારે ઘરેલૂ ગ્રાહક હોવા મહત્વપૂર્ણ છે અને સરકાર દ્વારા પ્રાથમિક ગ્રાહકના રૂપમાં કાર્ય કરવું જરૂરી છે, જે ડિમાંડને ગતિ આપે છે અને એક મજબૂત ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપે છે.”

આ જાહેરાતથી ભારતમાં 180થી વધારે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અંતરિક્ષ ટેકનોલોજી સ્ટાર્ટઅપને ફાયદો થવાની આશા છે. આ ભારતને ગ્લાબલ કોમર્શિયલ સ્પેસ માર્કેટમાં એક મુખ્ય ખેલાડીના રૂપમાં સ્થાપિત કરવાના સરકારના પ્રયોસો ઉપર ભાર આપશે.


પીએમ મોદીનું ધ્યાન રોજગાર સર્જન પર, કાર્યબળમાં મહિલાઓનો ફાળો વધશે, બજેટ 2024ની ફાળવણીની આ બાબતો સમજવા જેવી

તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ 2024 રજૂ કર્યું હતું. વર્ષ 2024નું બજેટ ખુબ જ અપેક્ષિત રહ્યું ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પછી પાછલા દશકામાં આવનારા પાંચ વર્ષોમાં અપેક્ષિત પરિવર્તનકારી પરિવર્તનો માટે માત્ર એક પ્રસ્તાવના અથવા ટ્રેલર હતું. આ બજેટ નવ મુખ્ય ક્ષેત્રોના આસપાસ રચવામાં આવ્યું છે, જેમાં રોજગાર સર્જન પર વિશેષ જોર આપવામાં આવ્યું છે, જે નરેન્દ્ર મોદી સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા બનેલી છે.

કેન્દ્રમાં રહેલી નરેન્દ્ર મોદી સરકાર 4.1 કરોડ યુવાઓને રોજગાર અને કૌશ્યલ પ્રશિક્ષણ આપવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરતાં સારા પગારવાળી નોકરીઓ પેદા કરવાના પોતાની પ્રાથમિકતા પર ખુબ જ સ્પષ્ટ છે. આ સંબંધમાં શિક્ષણ માટે બજેટમાં ફાળવવામાં આવેલી એક મોટી રકમ શિક્ષાને લઇને દૂરગામી પ્રભાવ વ્યૂહાત્મક પગલા સમાન છે. બીજી તરફ કૃષિ અનુસંધાન પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઉદ્દેશ્ય દૂરગામી વિચારસરણીવાળી દ્રષ્ટિકોણને દર્શાવતા ઉત્પાદકતા વધારવાનું છે.

એક વધુ ઉલ્લેખનિય પહેલ રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન કાર્યક્રમ છે. જેમાં સરકાર પ્રોવિડંટ ફંડમાં ગ્રાહકનો ભાગ અને ઈપીએફઓ સાથે નવા કર્મચારીઓ માટે પહેલા નવ મહિનાનો પગાર, જે પંદર હજાર રૂપિયા સુધી હોય તેમને કવર કરશે. તે ઉપરાંત બાંધકામ ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે આ ક્ષેત્ર પ્રત્યે સરકારની પ્રતિબંધતા દર્શાવે છે. કાર્યબળમાં મહિલાઓ માટે બજેટમાં કરવામાં આવેલી વધારે ફાળવણી અને શિક્ષણ રેટના વ્યાજ ગરોમાં ત્રણ ટકાની છૂટ વ્યાપક વિકાસની દિશામાં પ્રશંસનિય પગલું છે.

તે ઉપરાંત સરકારે ઇન્ટર્નશિપ કાર્યકમ શરૂ કર્યો છે, જેનો લક્ષ્ય એક કરોડ ભારતીય યુવાઓને ટોચની 500 કંપનીઓમાં આવાસીય અને વ્યાવસાયિક અનુભવ પ્રદાન કરે છે, જેથી શિક્ષા અને રોજગાર વચ્ચેના અંતરને ઓછું કરી શકાય. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઈ) નિશ્ચિત રૂપથી ભારતીય અર્થવ્યવસ્થાની રીઢની હડ્ડી છે. બજેટ ક્રેડિટ ગેરંટી યોજનાને વધારવી અને મુદ્રા લોન સીમાને 20 લાખ રૂપિયા સુધી વધારવા જેવા ઉપાયોથી એમએસએમઈને આવશ્યક નાણાકીય સહાયતા મળવાથી, ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન મળવાની આશા છે.

બજેટમાં શહેરી વિકાસને પ્રાથમિકતાવાળું ક્ષેત્ર માનવામાં આવ્યું છે, જેમાં જળ આપૂર્તિ, સ્વાચ્છતા અને પરિવહન માટે 10 લાખ કરોડ રૂપિયાના પર્યાપ્ત રોકાણનું પ્રસ્તાવ રાખવામાં આવ્યું છે. બજેટમાં ઉર્જા પરિવર્તનને પણ મુખ્યરૂપથી સામેલ કરવામાં આવ્યું છે, જેમાં સોલર રૂફટોપ નીતિની શરૂઆત કરવામાં આવી છે. આના વધારાના વિશ્વવિદ્યાલયોમાં અનુસંધાનની ફંડિંગ માટે એક લાખ કરોડ રૂપિયાનું મહત્વપૂર્ણ ફાળવણ કરવામાં આવી છે, જેમાં ખાનગી ક્ષેત્રમાં સામેલ કરવામાં આવ્યો છે, જે નવીનતાના મહત્વ દર્શાવે છે.

બજેટમાં રોજગાર, ભૂમિ સંબંધી મામલાઓ અને નાણાકિય ક્ષેત્રમાં આગલી પેઢીના સુધારાઓની રૂપરેખા રજૂ કરવામાં આવી છે, જેમાં ઉદ્દેશ્ય વ્યાપાર સુગમતાને વધારવા અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ને આકર્ષિત કરવાનું છે. બજેટ રશીદો વધીને 32.07 લાખ કરોડ રૂપિયા થઈ ગઇ છે, જ્યારે રાજકોષિય નુકશાન જે વચગાળા બજેટમાં 5.1 ટકા હતું, જે ઘટીને 4.9 ટકા થઇ ગયું છે. આ ઘટાડો મુખ્યરૂપથી જીડીપીમાં વૃદ્ધિ, ઉચ્ચ રશીદો અને ઓછા ખર્ચાના કારણે આવ્યો છે.

સરકાર લિસ્ટેડ અને અનલિસ્ટેડ બંને સિક્યોરિટીઝ માટે લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સના દર એક સમાન 12.50 ટકા રાખીને બંને વચ્ચેના અંતરને વહેંચી દીધો છે. આ અનલિસ્ટેડ સિક્યોરિટીઝના દરમાં મોટો ઘટાડો છે, જેનાથી સ્ટાર્ટ-અપમાં રોકાણના પ્રવાહને પ્રોત્સાહન મળશે. સોનું અને ચાંદીમાં ટેક્સ ઘટાડવાના કારણે આની તસ્કરીમાં તો ઘટાડો થશે, તેના સાથે-સાથે મૂલ્યવર્ધન નિકાસમાં પણ વધારો થશે. તે ઉપરાંત એન્જલ ટેક્સ હટાવી દેવાના કારણે સ્ટાર્ટ-અપને પણ મોટી રાહત મળશે.


ગભરાવવાની જરૂર નથી, સરકાર અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા કટીબદ્ધ, માર્કેટ પર પણ દેખાશે અસર, શું થઈ શકે છે ફાયદા?

નરેન્દ્ર મોદીના નેતૃત્તવાળી કેન્દ્રની સરકાર દેશના વિકાસ અને અર્થવ્યવસ્થાને વધારે મજબૂત બનાવવા માટે કટિબદ્ધ છે. આ વખતનું કેન્દ્રિય બજેટ વાસ્તવિક અર્થવ્યવસ્થા માટે સકારાત્મક છે, કેમ કે આ ગ્રામીણ ક્ષેત્ર, કૃષિ વિકાસ, રોજગાર સર્જન, રોજગાર માટે તૈયાર યુવાઓના કૌશલ્ય વિકાસ અને અર્થવ્યવસ્થાની ઉત્પાદક ક્ષમતા વધારવા માટે પાયાના પ્રાથમિક માળખાઓ પર કેન્દ્રિત છે. સૌથી સારી વાત તે છે કે, આ બધી મોટી પહેલ રાજકોષીય નુકશાનને જીડીપીના 4.9 ટકા સુધી લાવવા સહિત આ વર્ષે સરકાર દ્વારા લેવામાં આવેલા ઉધારને ઓછું કરવા દરમિયાન માર્કેટ માટે મોટા પગલાઓ ભરવામાં આવ્યા છે. જે એક સારી બાબત છે. કેમ કે ઉધાર ઓછું કરવાની સાથે-સાથે નરેન્દ્ર મોદી સરકારે પાયાના લોકો માટે સકારાત્મક નિર્ણય લીધો છે.

ઉંચા આવક વેરામાંથી મુક્તિની સાથે-સાથે સોનું, ચાંદી, મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના આયાત શુલ્કમાં ઘટાડાની સાથે મહિલાઓ માટે રોજગાર પ્રોત્સાહન યોજનાઓ અને કાર્યક્રમોથી સમગ્ર વપરાશમાં વધારો થવાની આશા છે. જ્યારે સીધા (પ્રત્યક્ષ કર) ટેક્સના કારણે કમાનારાઓના હાથમાં ટેક્સ ચૂકવ્યા પછી પણ વધારે પૈસા વધશે. રોજગાર કાર્યક્રમોના ખર્ચથી દેશના યુવાઓના હાથોમાં વધારે પૈસા આવી શકે છે.

બજેટ જાહેરાતો પછી ભારતની ગ્રાહક વસ્તુઓની કંપનીઓ અને ટૂ-વ્હીલર્સ નિર્માતાઓને ફાયદો થયો છે. કેટલાક રાજ્યોમાં સ્થિત પ્રાથમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળને પણ રોકાણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી છે. ગોલ્ડ એન્ડ સિલ્વર ઉપર ટેક્સ ઓછો થવાના કારણે જ્વેલર્સ કંપનીઓના શેરોમાં પણ તેજી આવી છે. બજેટમાં વધારાના ટેક્સની જાહેરાત કરી નહોવા છતાં તંબાકૂ કંપનીઓના શેરોની કિંમતોમાં વધારો થયો છે.

બજેટમાં એન્જલ ટેક્સને ખત્મ કરવાથી દેશના સ્ટાર્ટ-અપ સેક્ટરને લાભ થશે. આ ટેક્સ સ્ટાર્ટ-અપ દ્વારા યોગ્ય માર્કેટ ભાવથી વધારે કિંમત પર લેવામાં આવેલા ફંડ પર લગાવવામાં આવે છે. આનાથી દેશમાં સ્ટાર્ટ-અપ પરિદ્રશ્યને પ્રોત્સાહન મળશે.

રક્ષાથી લઈને રેલવે, પ્રોપર્ટી ડેવલપર્સથી લઈને નિર્માણ કંપનીઓ સુધીના મુખ્ય શેરોમાં નફો જોવા મળ્યો છે, જે ભવિષ્યના ઉજ્જવળ અનુમાનોના કારણે ખુબ જ ઉપર આવ્યો છે. આમ બજેટ સકારાત્મક છે અને આ અર્થવ્યવસ્થાના વિકાસેન પ્રોત્સાહન આપશે. જેથી અંતે તો માર્કેટને પણ મદદ મળશે.

You Might Also Like

શું RCB પર IPL 2026માંથી પ્રતિબંધ મૂકવામાં આવશે? BCCI કેવી રીતે અને શા માટે મોટો નિર્ણય લઈ શકે છે; અહીં જાણો

મંગળ અને ચંદ્રનો શક્તિશાળી મહાલક્ષ્મી રાજયોગ, 3 રાશિના લોકો ખૂબ જ ધનવાન બનશે, બિનજરૂરી ખર્ચાઓ બંધ થશે, તમને નવી નોકરી મળશે

ખતરો હજુ ટળ્યો નથી! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી

Jio ધડાકો , 336 દિવસનો પ્લાન 100 રૂપિયાથી પણ ઓછા ભાવે

મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણી કઈ મોંઘી શાળામાં અભ્યાસ કરે છે? આટલી બધી ફી…

Previous Article gold price સોનાના ભાવમાં મોટો ઘટાડો,ચાંદીમાં પણ વધારો..જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
Next Article laxmiji 2 એક વર્ષ પછી, આ લોકોને મોટી સફળતા મળશે, તેઓ સૂર્ય સંક્રમણને કારણે ધનવાન બનશે, ધનનો વરસાદ થશે.

Advertise

Latest News

image 1
શું RCB પર IPL 2026માંથી પ્રતિબંધ મૂકવામાં આવશે? BCCI કેવી રીતે અને શા માટે મોટો નિર્ણય લઈ શકે છે; અહીં જાણો
breaking news Sport top stories TRENDING June 7, 2025 7:54 pm
hanumanji 2
મંગળ અને ચંદ્રનો શક્તિશાળી મહાલક્ષ્મી રાજયોગ, 3 રાશિના લોકો ખૂબ જ ધનવાન બનશે, બિનજરૂરી ખર્ચાઓ બંધ થશે, તમને નવી નોકરી મળશે
Astrology breaking news top stories TRENDING June 7, 2025 7:49 pm
varsad
ખતરો હજુ ટળ્યો નથી! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી
breaking news GUJARAT top stories TRENDING June 7, 2025 3:47 pm
jio 3
Jio ધડાકો , 336 દિવસનો પ્લાન 100 રૂપિયાથી પણ ઓછા ભાવે
breaking news Business top stories TRENDING June 7, 2025 2:59 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?