સુખી પરિવાર માટે પતિ -પત્ની બંનેનું મહત્વ અને બંનેનું યોગદાન મહત્વનું છે.ત્યારે મહિલાને પરિવારની ધરી માનવામાં આવે છે કારણ કે તે બાળકોને સંસ્કાર આપે છે અને ઘરના તમામ સભ્યોને જોડાયેલા રાખે છે અને મુશ્કેલ સમયમાં પતિને સાથ આપે છે. આચાર્ય ચાણક્યે સદીઓ પહેલા જે નીતિઓ, સદ્ગુણો, જીવન જીવવાની રીતો બતાવી હતી ત્યારે આજના સમય માટે પણ યોગ્ય છે.ત્યારે આચાર્ય ચાણક્યના જણાવ્યા પ્રમાણે જો કોઈ સ્ત્રીમાં ચોક્કસ ગુણો હોય, તો તેની સાથે લગ્ન કરનાર વ્યક્તિનું નસીબ પણ જાગે છે.
પરિવારમાં દરેકને પ્રેમ કરે :પ્રેમ એ એવી વસ્તુ છે જે દરેક સ-બંધ અને પરિવારને એકબીજા સાથે જોડાયેલા રાખે છે.ત્યારે જો સ્ત્રી જ દરેકને પ્રેમ કરતી હોય તો ઘર હંમેશા ખુશીઓથી ગુંજતું રહે છે.ત્યારે આચાર્ય ચાણક્ય જણાવે છે કે એવી સ્ત્રી સાથે લગ્ન કરવું જે ઘરના વડીલોનું સન્માન કરે અને નાનાઓને પ્રેમ કરે તે વ્યક્તિનું નસીબ ઉજ્જવળ કરે છે.
ધાર્મિક પ્રવૃત્તિ કરતી મહિલા : જીવનમાં કોઈને કે બીજા પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. ત્યારે જો કોઈ ધાર્મિક મહિલા સાથે લગ્ન કરે છે તો આખું કુટુંબ ધર્મના માર્ગને અનુસરે છે. ત્યારે ઘરના સભ્યો, બાળકો ખરાબ ટેવો અને કાર્યોથી દૂર રહે છે. દેખીતી રીતે જે લોકો સારું વર્તન કરે છે તેમને સફળતા મળે છે.
શિક્ષિત મહિલા: ત્યારે કહેવાય છે કે જો શિક્ષિત મહિલા ઘરે હોય તો આખો પરિવાર શિક્ષિત હોય છે. મહિલાનું શિક્ષણ, તેની જાગૃતિ માત્ર તેને સફળ બનાવે છે પરંતુ પરિવારને શિક્ષિત અને સંસ્કારી બનાવે છે. આ સાથે, પરિવારના સભ્યો પ્રગતિ કરે છે.
શાંત સ્વભાવ મહિલા : શાંત મગજ ધરાવતી મહિલા મુશ્કેલ સમયમાં શાંતિથી કાબુ મેળવે છે અને પોતાના જીવનસાથીનો સાથ છોડતી નથી. ત્યારે આવી પત્નીનો સાથ અને પ્રોત્સાહન પતિને કોઈપણ મુશ્કેલીમાંથી બહાર કાઢે છે અને તેને સફળતા તરફ દોરી જાય છે.
શાંત અને ખુશ રહેવાવાળી મહિલા : ગુસ્સો, ઝઘડો ઘરની શાંતિને ખલેલ પહોંચાડે છે એટલું જ નહીં, ઘણી સમસ્યાઓનું કારણ પણ બને છે. ચાણક્ય નીતિ પ્રમાણે આવી મહિલાઓ જે શાંત અને ખુશખુશાલ હોય છે, તેઓ આખા ઘરને હકારાત્મકતાથી ભરી દે છે. આવી સ્ત્રી સાથે લગ્ન કરનાર વ્યક્તિનું ઘર ખુશીઓથી ભરેલું હોય છે.
Read More
- આ 5 રાશિના જાતકોને 2026 માં તેમના કરિયર અને સંબંધોમાં અવરોધોનો સામનો કરવો પડશે. શનિ અને રાહુનો પ્રભાવ વર્ષને પડકારજનક બનાવશે.
- મોક્ષદા એકાદશી પર ગ્રહો અને નક્ષત્રોનો શુભ સંયોગ; આ સમયે પૂજા કરવાથી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થશે.
- રશિયા પાસેથી ખરીદેલા તેલ પર 500 ટકા ટેરિફ લાદવામાં આવશે, યુએસ સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે; નિશાન કોણ છે?
- બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાને ફાંસીની સજા, આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલનો મોટો નિર્ણય
- ભોલેનાથના આશીર્વાદથી ‘રાજયોગ’ બન્યો! – આ 5 રાશિઓની કુંડળીમાં ધનનો મહાન સંયોગ રચાયો, ચારે બાજુથી પૈસાનો વરસાદ થશે
