અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ અને પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 242 મુસાફરો હતા, જેમાંથી ફક્ત એક જ બચી શક્યો હતો, બાકીના બધા 241 લોકોના મોત થયા હતા. ટાટા ગ્રુપે તમામ મૃતકોને 1-1 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે, જોકે આ અકસ્માતમાં વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડ્યું હતું, ત્યાં હાજર ડોકટરો-સ્ટાફ અને અન્ય લોકોના પણ મોત થયા છે. IMA એ ટાટા સન્સને પત્ર લખ્યો હતો કે તેમને સહાય મળશે કે નહીં, જોકે હવે ગ્રુપે સ્પષ્ટતા કરી છે કે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારોને 1-1 કરોડ રૂપિયા અને ઘાયલોને તમામ તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જ્યારે એર ઇન્ડિયા તાત્કાલિક મૃતક મુસાફરના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય પૂરી પાડશે.