નાણામંત્રી સીતારમણે મંગળવારે ભારતીય ઉદ્યોગોના સંઘના વડાઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કેન્દ્રની મોદી સરકાર નીતિઓમાં સ્પષ્ટતા સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરી રહી છે.ત્યારે તેમણે આજે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે તમામ સરકારી બેંકો સંયુક્ત રીતે ખૂબ જ સારું કામ કરી રહી છે.
ત્યારે જાહેર ક્ષેત્રની બેંકોએ દેશના પૂર્વીય ક્ષેત્રમાં ચાલુ અને બચત ખાતાઓમાં વધતી થાપણો અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે બેંકોને ઉત્તર-પૂર્વના તમામ રાજ્યો માટે ખાસ યોજના તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.આ દરમિયાન, તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓના મૃત્યુ પર, ફેમિલી પેન્શનમાં છેલ્લા ટેક હોમ પગારના 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
સીતારમણ જાહેર ક્ષેત્રની બેન્કોના વડાઓને મળ્યા હતા તે આ દરમિયાન તેમણે જાહેર ક્ષેત્રની બેંકોની નાણાકીય કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે કોરોના વાયરસ રોગચાળાને કારણે આર્થિક વૃદ્ધિને થયેલા નુકસાનમાંથી બહાર નીકળવા કરવા માટે જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા લેવામાં આવેલા પગલાઓની પ્રગતિની પણ સમીક્ષા કરી. તમને જણાવી દઈએ કે વર્ષ 2020 માં કોરોના સંકટની શરૂઆત બાદ નાણામંત્રી સીતામરણની મુંબઈની આ પ્રથમ મુલાકાત છે
Read More
- ઈરફાન પઠાણ હાથ ધોઈને હાર્દિક પંડ્યાની પાછળ પડ્યો, હવે વાઈસ કેપ્ટનને લઈ આપ્યું મારફાડ નિવેદન
- ‘આત્મહત્યા નહીં, પોલીસ હત્યા કરી નાખી…’ અનુજ થાપનના પરિવારે ઉઠાવ્યા આકરાં સવાલ, કરી આ માંગ
- છોકરીના બેડરૂમમાંથી દરરોજ રાત્રે આવતા અજીબોગરીબ અવાજો… જ્યારે સત્ય સામે આવ્યું તો ઘરમાં ચોંકી ગયા
- 10 વર્ષથી હતી ત્યારથી કમાઈ છે, જાણો ભાજપમાં જોડાયેલી ઘરે-ઘરે પ્રખ્યાત ‘અનુપમા’ની સંપત્તિ-આવક કેટલી?
- ‘હમ દિલ દે ચૂકે સનમ’માં સંજય લીલા ભણસાલી પર સલમાનનો પિત્તો ગયો, કહ્યું- ઓય, ઐશ્વર્યા રાયને ટચ ના કરતો…