ચોમાસાને લઈને 20 દિવસ પછી સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ આવી શકે છે. ચોમાસાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસુ આવી શકે છે. આ સાથે આજે ચાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પશ્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જ્યારે મહારાષ્ટ્રમાં પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે. જ્યારે બંગાળની ખાડીમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન છે. જેના કારણે અટકી પડેલું ચોમાસુ વેગ પકડી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે આપવામાં આવેલી માહિતી મુજબ, આજે 24 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસુ આવી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે, રવિવાર, 15 જૂને અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે, રવિવાર, 16 જૂને અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.