ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે. ત્યારે જામનગર અને સુરતમાં નોંધાયા બાદ હવે આ પ્રકાર ગામડાઓમાં પણ પહોંચી ગયો છે. ત્યારે ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ મહેસાણા જિલ્લામાં નોંધાયો છે. ત્યારે 6 દિવસ પહેલા વિજાપુર જિલ્લાના પિલવાઈમાં એક જ ઘરમાં રહેતી વહુનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને લઈને તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બે પૈકી વહુનો કેસ ઓમીકોન પોઝીટીવ હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં ઓમિક્રોનનો આ પાંચમો કેસ છે. અગાઉ જામનગરમાં ત્રણ અને સુરતમાં ઓમિક્રોનમાં એક કેસ નોંધાયો હતો.
પિલવાઈ ગામમાં રહેતી 43 વર્ષીય મહિલાના પતિના અવસાન બાદ ઘણા લોકો શોકસભામાં આવ્યા હતા ત્યારે તેમાં સાસુ અને પુત્રવધૂમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા અને તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં બંનેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ જિલ્લા આરોગ્ય તંત્રએ તેમને ક્વોરેન્ટાઈન કર્યા હતા.
ઓમિક્રોન પોઝિટિવ મહિલાનો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ત્યારે મહિલાના સ-બંધીઓ આ પ્રસંગે ઝિમ્બાબ્વેના પરિવારના એક સભ્યને મળ્યા હતા. ઝિમ્બાબ્વેથી આવેલા સ-બંધીઓના ત્રણ રિપોર્ટ પછી પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
Read More
- નસીબ હોય તો આ કાકા જેવા…’કાકાએ પૌત્રીની ઉંમરની છોકરી સાથે કર્યા લગ્ન, હવે સુહાગરાત પણ
- રાજ કુન્દ્રાની 97 કરોડની સંપત્તિ જપ્ત, જાણો તેમની નેટવર્થ કેટલી છે અને કયા કેસમાં કરવામાં આવી કાર્યવાહી?
- LICમાં જમા તમારા પૈસા ક્યાં જાય છે, ક્યાં થાય છે રોકાણ …જાણો અહીં બધું
- સુરતમાં આમ આદમી પાર્ટીના સ્ટારપ્રચારક અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામાં આપ્યાં, ભાજપમાં જોડાવાની શક્યતા
- મોટા સમાચાર : રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણ રાજકારણનું જૂનું વેર,