કાનપુરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે વરરાજા લગ્નના સ્થળેથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયાં બાદ કન્યાએ એક બારાતી સાથે લગ્ન કર્યા હતા. મહારાજપુર વિસ્તારમાં બે દિવસ પહેલા આ ઘટના સામે આવી હતી. મળતી માહિતી પ્રમાણે વારમાલા પહેરાવી સમારોહ પૂરો થયો હતો અને બંને પરિવારો લગ્નના મુખ્ય સમારોહની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે વરરાજા અચાનક ગાયબ થઈ ગયા.
બંને પરિવારોએ વરરાજાની શોધ શરૂ કરી હતી ત્યારે ઘટનાઓમાં નવો વળાંક આવતા કન્યા નર્વસ થઈ ગઈ હતી. થોડીવાર શોધખોળ કર્યા બાદ દુલ્હનના પરિવારજનોને જાણ થઈ કે વરરાજા ગાયબ થયો નથી, પરંતુ તે જાણી જોઈને સ્થળ પરથી છટકી ગયો છે અને તેનું કારણ તે સારી રીતે જાણે છે.
કન્યાના પરિવારને હાલાકી જોઇને વરરાજાની બાજુના મહેમાનએ સૂચવ્યું હતું કે લગ્ન અન્ય એક લાયક છોકરા સાથે થવા જોઈએ, જે લગ્નમાં ભાગ લેવા આવ્યો હતો. કન્યાના પરિવારે છોકરામાંથી એકને પસંદ કર્યો અને સંબંધિત પરિવારો સલાહ-સૂચન બાદ સમારોહ પૂર્ણ કરવા સંમત થયા.
લગ્ન તે જ સ્થળે થયાં હતાં. બાદમાં, દુલ્હનના પરિવારે ભાગેડુ વરરાજા અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
નરવાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્સ્પેક્ટર શેષ નારાયણ પાંડેએ જણાવ્યું હતું કે, “અમને વરરાજા બંને તરફથી ફરિયાદો મળી છે. વરરાજા પક્ષે કન્યા અને તેના પરિવારના સભ્યો સામે યોગ્ય પગલા લેવાની માંગ કરી છે. ત્યારે ભાગેડુ વરરાજાના પિતા ધરમપાલે પોલીસ ફરિયાદમાં તેના ગુમ થયેલા પુત્રને શોધવા માટે મદદ માંગી છે. આ સંદર્ભે તપાસ ચાલી રહી છે. “
Read More
- ૧૦૦ કિમી માઇલેજ, સ્માર્ટફોન કનેક્ટિવિટી ; આ મોટરસાઇકલ રોજિંદા ઉપયોગ માટે શ્રેષ્ઠ છે! કિંમત: ૯૧ હજાર
- ૪૪૯ કિમી રેન્જ, ૬ એરબેગ્સ અને ADAS સેફટી ! આ દેશની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર ; કિંમત ૧૨.૫ લાખ રૂપિયાથી શરૂ
- ૧૩૮ દિવસમાં ઘણા સપના પૂરા થશે, તિજોરી પૈસાથી ભરાઈ જશે, શનિની કુટિલ ચાલ ૫ રાશિઓ માટે વરદાન સાબિત થશે
- પટેલ કાશ્મીરને માથાનો દુખાવો માનતા હતા, કાશ્મીર નેહરુના કારણે ભારતમાં છે!
- જૂન મહિનામાં આ રાશિઓ પર મા લક્ષ્મીની કૃપા વરસશે, પૈસાની તંગી દૂર થશે