દેશની અગ્રણી વાહન બનાવતી કંપની ટાટા મોટર્સ તેની સસ્તી સેડાન કાર ટાટા ટિગોર પર બમ્પર ડિસ્કાઉન્ટ સાથે સરળ હપ્તા પણ આપી રહી છે.ત્યારે કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે તમે આ કારને ફાઇનાન્સ પર લઇ શકો છો અને દર મહિને માત્ર 4,111 રૂપિયા ચૂકવીને તેને ઘરે લાવી શકો છો.
કાર પર EMI ઓફર કરવા સાથે કંપની ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.ત્યારે ટિગોર તે ટિયાગો, નેક્સન અને હેરિયર જેવી કાર પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. ત્યારે તેમાં કંપની દ્વારા ટાટા ટિયાગો પર 20 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે. તાજેતરમાં લોન્ચ કરાયેલી Tiago NRG સિવાય તમામ વેરિએન્ટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ટિગોરની વાત કરીએ તો તેમાં 20 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે.
આ સિવાય જો આપણે અલ્ટ્રોઝની વાત કરવામાં આવે તો કંપની તેના પર કોઈ ડિસ્કાઉન્ટ આપી રહી નથી. ત્યારે ટાટા નેક્સનના પેટ્રોલ વેરિએન્ટ પર કોઈ છૂટ નથી. નેક્સન ડીઝલની વાત કરીએ, તો ડાર્ક એડિશન મોડલ્સ સિવાય તમામ વેરિએન્ટ પર 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે.
ટાટા નેક્સન EV પર કોઈ કસ ડિસ્કાઉન્ટ નથી પણ તેને XU+ Lux ટ્રીમ પર 15,000 રૂપિયા અને XZ+ ટ્રીમ પર 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે. ત્યારે ઇલેક્ટ્રિક એસયુવીના અન્ય વેરિએન્ટ્સ વિશે વાત કરીએ, તો તેના પર કોઈ ઓફર આપવામાં આવી રહી નથી.
હેરિયર પર મળતા ડિસ્કાઉન્ટની વાત કરીએ તો તેના પર 25,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. ત્યારે તેમાં એક્સઝેડ+, એક્સઝેડએ+ ટ્રીમ, કેમો અને ડાર્ક એડિશન મોડલ્સ સિવાય તમામ વેરિએન્ટ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સિવાય, આ એસયુવી પર 40 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે પરંતુ અપડેટેડ ડાર્ક એડિશન પર માત્ર 25 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Read More
- ભગવાન ગણેશના આશીર્વાદથી આ અઠવાડિયે આ 7 રાશિઓના બધા કાર્ય પૂર્ણ થશે, તેમને સફળતા મળશે અને તેમની સમસ્યાઓ દૂર થશે, જાણો ઉપાયો અને મંત્રો!
- ચંદ્ર અને શુક્રની યુતિને કારણે આ 6 રાશિઓને નોકરી અને વ્યવસાયમાં મોટી સફળતા મળશે, જાણો કોને વ્યવહારમાં સાવધાની રાખવી પડશે?
- ૧૨ મહિના પછી શુક્ર-બુધનો દુર્લભ યુતિ બની રહ્યો છે. આ નારાયણ યોગને કારણે કઈ રાશિના જાતકોના ભાગ્યમાં પરિવર્તન આવશે? જાણો.
- શનિની નક્ષત્રમાં સૂર્યનું ગોચર આ 3 રાશિઓ માટે દુઃખદાયક રહેશે, તેમને ધન અને માન-સન્માનનું નુકસાન થઈ શકે છે!
- વાવાજોડા બાદ એક નહીં બે-બે માવઠા બોલાવશે તબાહી, અંબાલાલ પટેલની ડરામણી આગાહી
