ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડાની તીવ્રતા વધી રહી છે. રાજ્યમાં ચોમાસાના આગમનની રાહ ગુજરાતીઓ જોઈ રહ્યા છે. આજે હવામાન વિભાગે સંકેત આપ્યો છે કે આગામી 48 કલાક પછી ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતા છે. આ સાથે, 15 જૂન પછી વરસાદની તીવ્રતામાં વધારો થવાની આગાહી પણ કરી છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે.
હવામાન વિભાગના અમદાવાદ સેન્ટરના ડિરેક્ટર એ. કે. દાસે આજે હવામાન અને ગુજરાતમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 15 જૂનથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે. 14 થી 17 જૂન દરમિયાન વાવાઝોડાની પ્રવૃત્તિ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 48 કલાક પછી ચોમાસાની ધરી આગળ વધવાની શક્યતા છે.
આ સાથે, તેમણે ગુજરાતમાં ચોમાસાના આગમન વિશે કહ્યું છે કે 48 કલાક પછી ચોમાસું ગુજરાતની સરહદ પર આવી શકે છે. આ સાથે, 14 જૂને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા હવામાન નકશા મુજબ, 12મી તારીખે, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા હવામાન નકશા મુજબ, 13મી તારીખે, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.