નાણામંત્રી સીતારમણે મંગળવારે ભારતીય ઉદ્યોગોના સંઘના વડાઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કેન્દ્રની મોદી સરકાર નીતિઓમાં સ્પષ્ટતા સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરી રહી છે.ત્યારે તેમણે આજે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે તમામ સરકારી બેંકો સંયુક્ત રીતે ખૂબ જ સારું કામ કરી રહી છે.
ત્યારે જાહેર ક્ષેત્રની બેંકોએ દેશના પૂર્વીય ક્ષેત્રમાં ચાલુ અને બચત ખાતાઓમાં વધતી થાપણો અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે બેંકોને ઉત્તર-પૂર્વના તમામ રાજ્યો માટે ખાસ યોજના તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.આ દરમિયાન, તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓના મૃત્યુ પર, ફેમિલી પેન્શનમાં છેલ્લા ટેક હોમ પગારના 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
સીતારમણ જાહેર ક્ષેત્રની બેન્કોના વડાઓને મળ્યા હતા તે આ દરમિયાન તેમણે જાહેર ક્ષેત્રની બેંકોની નાણાકીય કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે કોરોના વાયરસ રોગચાળાને કારણે આર્થિક વૃદ્ધિને થયેલા નુકસાનમાંથી બહાર નીકળવા કરવા માટે જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા લેવામાં આવેલા પગલાઓની પ્રગતિની પણ સમીક્ષા કરી. તમને જણાવી દઈએ કે વર્ષ 2020 માં કોરોના સંકટની શરૂઆત બાદ નાણામંત્રી સીતામરણની મુંબઈની આ પ્રથમ મુલાકાત છે
Read More
- ડિસેમ્બરની શરૂઆત સાથે, સૂર્ય બુધ રાશિમાં ગોચર કરશે, તમારા પર સંપત્તિનો વરસાદ કરશે અને માન-સન્માન પ્રાપ્ત કરશે!
- ધન પ્રાપ્તિ માટે ઘરમાં પિત્તળનો કાચબો કઈ દિશામાં રાખવો જોઈએ? વાસ્તુના આ નિયમો જાણ્યા પછી જ તેને ઘરમાં રાખો, નહીં તો તે તમારા જીવન પર પ્રતિકૂળ અસર કરશે.
- સૂર્ય અને બુધની યુતિ બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે, અને આ 3 રાશિઓ પર ધનનો વરસાદ થશે.
- ૧ લાખ ૬૮ હજાર રૂપિયા પેન્શન! પીએમ મોદીના પત્ની જશોદાબેનને બીજા કયા લાભ મળે છે?
- નવરાત્રી દરમિયાન ઘરમાં આ છોડ વાવો, તમારા પરિવારમાં ખુશીઓ અને સમૃદ્ધિનો માહોલ રહેશે.